મણકો# 246 તા-4-5-2025
ગુજરાતીસાહિત્ય ફોરમ આયોજીત વક્તવ્ય ના વક્તા હતા ડો. મૃગેશ વૈષ્ણવ. તેમણેજિંદગીની સફરમાં દરેક જણ માનસિક તણાવમાંથી પસાર થાય છે. સંપૂર્ણ રીતે માનસિકસ્વસ્થ કોઇ નથી, મોટેભાગેવ્યક્તિ માનસિક ભ્રમણામાં હોય છે કે સુખી છે. માનસિક તણાવના સાત તબ્બકાની સુંદર સમજમૃગેશભાઇએ આપી.
બાળક બહારનીદુનિયામાં આવતાં જ રડે છે, તે માનસિક તણાવ જ છે. નવા વાતાવરણમાં અનુકુલન પ્રક્રિયા દરમ્યાન તણાવને કારણે જ રડે છે. ત્રણ થી પાંચ વર્ષના તબ્બકામાં શાળામાં મૂકવામાં આવે છે, વળી પાછું ઘરના સુરક્ષિત વાતાવરણમાંથી બહારની દુનિયામાં અસલામતી અનુભવતા રડે છે નેશાળાએ જવાની ના પાડે છે. તરુણાવસ્થામાં શરીરમાં ફેરફારને કારણે ( hormones change) આવેગ, લાગણીના ઝરા વિ. કારણે તનાવ અનુભવે છે. ભણતર પછી કરિયરની ચિંતા, લગ્ન પછી પહેલી રાતનો ભય, પછી કૌટુંબિક જીવનમાં આવતી સમસ્યા, પ્રથમ બાળકના જન્મ સમયે ઉત્પન્નથતો તણાવ, કેટલીકવાર વિલંબિત સગર્ભાવસ્થા માનસિક તણાવનું કારણ હોય છે. સંતાનના જન્મ પછી પણ માતા depression અનુભવતી હોયછે. ત્યારબાદ તેના ભણતર ને ઘડતર દરમ્યાન માતાપિતા માનસિક તણાવમાંથી પસાર થતા હોય છે, વિભક્ત કુટુંબમાં બાળ ઉછેરની સમસ્યા મોટી હોય છે. લગભગ 50 વર્ષ પછી કૌટુંબિક જવાબદારી ઓછી થતી જાય છે, બાળકો વયસ્ક થતા બીજે સ્થાયી થાય છે તે તબ્બકો પણ માતાપિતા માટે મુશ્કેલ હોય છે. જો પહેલેથી માનસિક રીતે સજ્જ બની હકારાત્મકતા કેળવાય તો માનસિક રીતે સ્વસ્થરહી શકાય છે. જીવનના છેલ્લા તબ્બકામાં એકલવાયાપણાંને લીધે માનસિક તણાવ થાય છે.
ઘણીવાર શરીરમાં રાસાયણિક પ્રક્રિયા ને લીધે Biological disorder પણ હોય છે જેને આપણે ઓળખી કે સમજી શકતા નથી. Mood swing is Biological disorder. પણ કેટલીકવાર અંધશ્રદ્ધા ને લીધે માનવી દોરા-ધાગા, પ્રેતાત્મા, કાલસર્પદોષ વિ. માની ઢોંગી બાવામાં ફસાય છે.
દરેક માનસિકબિમારીની દવા લભ્ય છે. માનસિક તણાવ ઓછા કરવાની કેટલીક ટીપ્સ મૃગેશભાઇએ આપી. તમારા જીવનમાં બનતી ઘટનાને respond કરો, વિચારો પછી react કરો. જેના પરતમારો કાબૂ હોય તેવા વિચારો પર કાબૂ રાખો. કોઇની ટીકાથી ડરશો નહીં. સંતાનોને વણમાગી સલાહ આપશો નહીં, તેનાથી તમારાથી દૂર થઇ જશે. સંતાનોની સમસ્યા સમજી હકારાત્મક વલણ અપનાવો. મોટી ઉંમરે પણ સફળતાના સપના જુઓ. 100 વર્ષ તો અચૂકજીવવાનો કે જીવવાની છું તેવું લક્ષ રાખો.
જીવનમાં સારામાંઠાં પ્રસંગે મનોબળ મજબૂત રાખી પોતાના હિતોની જાળવણી કરો. જીવન એક સફર છે ને ઠોકર તોવાગવાની જ છે તેવી માનસિકતા કેળવો.
મૃગેશભાઇએઆપના માર્ગદર્શક વક્તવ્ય બદલ ખૂબ ખૂબ આભાર.
કોકિલાબહેનઅને તેમના પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર
——- સ્વાતિ દેસાઇ
Dr. Mrugesh Vaishnav is a renowned Consultant Psychiatrist, Sex Therapist, and Motivational Trainer with over 40 years of experience. He practices at Samvedana Psychiatric Hospital & Research Institute in Ahmedabad, Gujarat. His expertise spans pre-marital counseling,male and female sexual health issues, and general psychiatric care.
Achievements & Contributions
Awards & Recognitions
Dr. Vaishnav is deeply committed to supporting individuals, caregivers, and families affected by psychiatric conditions,ensuring holistic mental well-being.