ભારતીય સમાજનાં બદલાતા મૂલ્યો

Speaker:

Dr. Naresh Ved

January 12, 2025

January 12, 2025

IST:
9:00 pm
GMT:
3:30 pm
EST:
10:30 am
CST:
9:30 am
PST:
7:30 am

About Event

Summary

મણકો #232 તા-12 -1-2025 

 

                                      ગુજરાતી સાહિત્યફોરમ આયોજીત વક્તવ્યના વક્તા હતા નરેશ વેદ. તેમણે ભારતીય સમાજકાળક્રમે બદલાઇ રહ્યો છે અને તેની પ્રજાના જીવન ધોરણના મૂલ્યો પણ બદલાઇ રહ્યા છે

તે બદલાવાનાકારણો પર વિચારલક્ષી વકતવ્ય આપ્યું. 

                                   સમાજ સતત પરિવર્તનશીલ હોય છે, જૂના મૂલ્યો કાળગ્રસ્ત થઇ નવા આધુનિક મૂલ્યો સર્જાયછે.આપણે જે સમાજમાં રહીએ છીએ તેમાં એક ચોક્કસ સમાજની નીતિ- પ્રણાલીથી રહેતા હોઇએ છીએ.આપણે આપણાં સંબંધો- સાચવી  વ્યવહારવાળાજીવનમાં રહેતા હોઇએ છીએ. આપણે સંસ્કારી ને વિવકશીલ  બની સમાજમાં રહી મન,વચન ને કર્મ થી જીવન જીવવાની રીત અપનાવતા હોઇએ છીએ. આપણાં વાણી વર્તન કેવા હોવા જોઇએ તેવિવેક-બુધ્ધિથી નક્કી કરી જે ધારા ધોરણ કે  મૂલ્યો અપનાવીએછીએ તેને જીવન મૂલ્યો કહી શકાય. 

                                                    જીવન અનેક મૂલ્યો પર આધારિત છે, જેવા કે સામાજિક, આર્થિક, આધ્યાત્મિક , કળાત્મક, રાજકીય, ધાર્મિક , શૈણણિક વિ. જીવનનું સ્વરુપ, હેતુ, આદર્શો ને ક્ષેત્રો બદલાતા રહે છે. જૂના મૂલ્યો નષ્ટ થાય છેને નવા મૂલ્યો ઉજાગર થાય છે.કેટલાંક મૂલ્યો શાશ્વત કે સનાતન હોય છે.    સત્યવાદિતા, ધર્મનું અનુસરણ, આધ્યાત્મિકમૂલ્યોમાં આવે. નૈતિક મૂલ્યોમાં નિષ્ઠા, નિશ્ચય,વફાદારી, ક્ષમા, ઉદારતા,સહિષ્ણુતા, ઉત્તરદાયિત્વ, વિ. ગુણો આવરીલેવાયા છે. વર્ણવ્યવથા, અસ્પૃશ્યતા, સેવાભાવ, સામાજિક ફરજો વિ. સામાજિક મૂલ્યો , સ્વતંત્રતા, નિરપક્ષ, વિ. રાજકીય મૂલ્યો. અલગ અલગ ગુણોને 

આધારિત મૂલ્યોજીવનમાં વણાયેલા હોય છે.ભારતીય  સમાજ છેલ્લા 1000 વર્ષથી બદલાઇરહ્યો છે. સમાજે કરવટ લીધીતેના કારણોમાં પુનઃસુધારણા કે જાગરણ, ધાર્મિક યુધ્ધ(crusades) , વિશ્વયુદ્ધ, , ઓદ્યોગિક ક્રાંતિ, વૈચારિક ક્રાંતિ ને માહિતી ક્રાંતિ મુખ્યત્વે ગણાવી શકાય.ઓગણીસ થી વીસમી સદીનો સમય આધુનિકવાદ કહેવાય. લગભગ 13 મી સદીથી ધીમે ધીમે પરિવર્તન થતું રહ્યું છે.  Post Morden સમયમાં  શહેરીકરણ, વૈશ્વિક નેઉદારીકરણની ઘટનાને લીધે વિશ્વ બે ગોળાર્ધમાં વહેંચાઇ ગયું, પૂર્વ ને પશ્ચિમ.સમાજમાં બે વિચારધારા જન્મ પામી, મૂડીવાદ નેસામ્યવાદ, ધાર્મિક મતો ક્રિશ્યનને ઇસ્લામ ધર્મમાં વહેંચાયા, આધારોમાં બજારીકરણ ને ઉપભોક્તાવાદ, રાષ્ટ્રીયતા બે ભાગમાં વહેંચાઇ. મૂળ વસાહત ને  બહારથી આવીને સ્થાયી થયેલ. સમાજ પણશહેરી સમાજ ને ગ્રામીણ સમાજમાં વિભાજીત 

થયો.  બંનેસમાજમાં વિકસિત, પછાત, વર્ગ ભેદ, રંગભેદી સમાજ વહેંચાયો વળી અશોષિત ને શોષિત સમાજ  દરેકસ્તરમાં વિકસ્યો. 

                                 આજે સાયબર યુગમાં પ્રવેશી ગયા છીએ. નૈતિક મૂલ્યોઘસાતા જાય છે. વિદેશી સંસ્કૃતિનાપ્રભાવ હેઠળ આખો સમાજ પરિવર્તન પામી રહ્યો છે. ધાર્મિક ને આધ્યાત્મિક મૂલ્યોમાંધર્મ જડતા, દંભ ને આડંબર વધતા જાય છે. ક્રિયાકાંડો, વિધિવિધાનોમાં માનતો સમાજ જુનવાણી ગણાય છે.  સમાજમાં સ્વાર્થીવૃતિ નેમતલબીપણું પ્રવેશી ગયું છે. ચોમેર લાંચરુશ્વત ને ભષ્ટ્રાચાર વધતા જાય છે. લોકોમાંપરસ્પર ઇર્ષા, અદેખાઇ, હિંસા વધતાં જાયછે. સામાજીક દુષણોને લીધે સ્વચ્છ સમાજ રહ્યો જ નથી. નિતી, સદાચારનો આગ્રહ રહ્યો જ નથી. સગીર વયના બાળકોનું આર્થિકશોષણ પણ થાય છે. સેવા, સમર્પણ સ્વાશ્રય , પરિશ્રમને સ્થાનેશોષણ ને આળસ પ્રમાદીપણું વધી રહ્યું છે. સમાજની ઇમારત જર્જરિત થઇ રહી છે. 

                                          શહેરીકરણને કારણેગામડાંઓ ભાંગતાં જાય છે. શહેરોમાં સાંકડી જગ્યાને કારણગંદકી, હાલાકી વધતી જાય છે. આંતરજ્ઞાતિય, પ્રેમલગ્નો, આંતરધર્મીલગ્નોને કારણે કુટુંબ વ્યવસ્થા ભાંગીપડી છે. સ્ત્રીઓનું સ્થાન પણ સન્માનીય રહ્યું નથી. બળાત્કાર, ભૃણ હત્યા, શારિરીક શોષણ, સામાન્ય છે વળી   લગ્ન સમયે લેવામાં આવતી દહેજપ્રથા પણસમાજમાં વકરી છે.  કુટુંબપ્રથા તૂટવાને કારણે ઘરડાં ઘરમાં વડીલોની પાછલીજીંદગી વ્યતીત થાય છે. લગ્ન વ્યવસ્થામાં પણ Live inrelationship ને પ્રાધાન્ય અપાયું છે. સમાજની વિકૃતતા વધવાથી સમલૈલિંગસંબંધો વધતા જાય છે. સરોગેટ મધરથી માતા બનવાનું પ્રમાણ વધવાથીમાયા મમતા, જેવું રહ્યું નથી. ફિલ્મો ને ટીવીના માધ્યમથી બનાવવામાં આવેલી ફિલ્મો કે શ્રેણીઓ સમાજલક્ષી નથી.કોમવાદને આંતકવાદ વકર્યો છે.   ભારતીય સમાજની સભ્યતા અને નાગરિકતાના મૂલ્યો ભષ્ટ્રથવા થવા માંડ્યા. આપણી વિશિષ્ટતા નષ્ટ થતી જાય છે.પ્રત્યેક રાષ્ટ્રની વિશિષ્ટતા અલગ અલગ હોય છે, રહેણીકરણી, ખાનપાન, રીતિરીવાજ વિ. પણ આજે  ભારતની આગવી શૈલી  અદ્રશ્ય થઇ ગઇ છે.લોકોપોતાનો વંશ કે ગોત્ર પણ ભૂલી ચૂક્યા છે. વિરાટ યંત્રો નેતંત્રોની વચ્ચે માનવી વામણો થઇ ચૂક્યો છે. માનવ સમાજ  અસામાજિક,અસભ્યતા, અન્યાય અને અસલામતીના વિશ્વમાં જૂના મૂલ્યો ગુમાવી ચૂક્યોછે.  

 

                                            નરેશભાઇએ બે કવિઓના માર્મિક કાવ્યોનું પઠન કરી તેનો ભાવાર્થ વર્ણવ્યો. કવિજગદીશ જોષીના છિન્નભિન્ન કાવ્યમાં માણસ મરણોત્તર અવસ્થામાં  અસ્તવ્યસ્ત જીવનજીવી 

રહ્યો છે તેનીવાત છે.  સુખી, શાણો અને સ્વસ્થસમાજ રચવો હશે તો નવી પરંપરા , નવા મૂલ્યોવિકસાવા પડશે. નરેશભાઇએસમાજની તાસીર પરથી તારવણી કરી કે આપણે સાચું શિક્ષણ આપવામાં નિષ્ફળ ગયા

છીએ. ન્યાતજાતનાવાડામાં બંધાઇ ગયા છીએ, પણ માનવતાથી મોટો કોઇ ધર્મ નથી. વિનોબા ભાવેને યાદ કરતા તેમનાકાર્યની પ્રશંસા કરી હતી, તેઓ કહેતા આપણો દેશ કુદરતી સંપત્તિથી ભરપૂર છે પણ 

Political policyને લીધે દેશ ગરીબ છે. ગાંધીજીના આદર્શો તેમણે પોતાનીકાર્યપદ્ધતિ માં સમાવ્યાં હતા પણ પછીના સમાજમાંતેનું અનુકરણ ન થતાં દેશના હિતોની જાળવણી થઇ શકી નહીં. આશા રાખીએ કે

ભવિષ્યનો સમાજસુખી અને સ્વસ્થ હોય. 

                                   

નરેશભાઇ આપનો ખૂબખૂબ આભાર

કોકિલાબહેન અનેપરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર 

 

 

                                ——- સ્વાતિ દેસાઇ 

 

About Speaker

Dr. Naresh Ved

M.A., Ph.D.
Learn More

Dr. Naresh Ved

Naresh Ved is a distinguished former professor, head of the Post Graduate Department, and director in various universities. With 44 years of teaching experience in higher education and 39 years of research experience, he has made significant contributions to the field. Naresh Ved is the author of 20 books and has written over 200 articles.

He has been honored and recognized throughout his career, receiving the Career Award from UGC New Delhi and the Dr. S. Radhakrishnan Award from the United Nations Organization. He has also been bestowed with prestigious awards such as the Priyadarshini Award by Priyadarshini Academy Mumbai, Best Critic Award by Gujarat Sahitya Akademy Gandhinagar, Hari Oum Ashram Award by S. P. University, and Vidyavachaspati Award by Tirupati Devsthan.

Naresh Ved has served as a former member of the Common Act Committee for the rehabilitation of earthquake victims. He has also been involved with various institutions as a member, secretary, and trustee, contributing his expertise and knowledge. Additionally, he has held positions such as the president of Akhil Bhartiya Sahitya Parishad, Gujarat Unit, and a member of the jury for the K.K. Birla Foundation in New Delhi.

Apart from his academic pursuits, Naresh Ved is an accomplished writer, motivational and spiritual speaker, and columnist for publications such as Janmbhoomi Daily, Prabuddha Jeevan magazine, Setu, and V Vidyanagar journals. His multidimensional contributions have left a lasting impact in the fields of education, literature, and spirituality.